મેડિકલ ટીમની દેખરેખમાં કેપ્ટનઃ બીસીસીઆઈ
પીઠના દુઃખાવવાના કારણે કેપ્ટન આજે આરામ પર
આવતીકાલે મેદાન પર પરત આવી શકે છે શર્મા
ઈંગ્લેન્ડની સામે 5 ટેસ્ટ મેચની સીરીઝના અંતમાં ભારતને ઝટકો લાગ્યો છે. કેપ્ટન શર્મા ધર્મશાળામાં મેચ સમયે ઈજાગ્રસ્ત થયા છે. તો ત્રીજા દિવસે ફિલ્ડિંગને માટે ઉતર્યા નથી. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 218 રન બનાવ્યા હતા.
તો ભારતે પહેલી ઈનિંગમાં 477 રન બનાવીને 259 રનની લીડ લીધી. આ પછી આજે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂ થઈ છે પણ રોહિત મેદાન પર જોવા મળ્યા નથી.
બીસીસીઆઈએ આપી જાણકારી
બીસીસીઆઈએ રોહિત શર્માને લઈને ટ્વિટર પર જાણકારી આપી છે. બોર્ડે કહ્યું કે કેપ્ટન રોહિત શર્મા પીઠના દુઃખાવવાના કારણે ત્રીજી મેચમાં મેદાન પર ઉતર્યા નથી. કેપ્ટનની જગ્યા વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહે ટીમની જવાબદારી લીધી છે. બુમરાહ આ પહેલા પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ ટેસ્ટ મેચમાં કરી ચૂક્યા છે. ત્રીજા દિવસે તેમની પર ઈંગ્લેન્ડની ટીમની બીજી ઈનિંગમાં જલ્દી ખતમ કરવાની જવાબદારી છે.
ક્યારે ફિટ થશે રોહિત
બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું નથી કે રોહિત શર્મા ક્યારે ફિટ થશે. મેડિકલ ટીમ તેમની સાથે કામ કરી રહી છે. શક્ય છે કે હિટમેન ત્રીજા દિવસે આરામ કરે. આ પછી તે ચોથા દિવસે મેદાનમાં આવી શકે છે. ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમની ઈજા વધારે ગંભીર ન હોય. તેઓએ 22 માર્ચથી શરૂ થનારી આઈપીએલની સીઝન 17માં પણ રમવાનું છે. આ વખતે તેઓ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ નહીં કરે. તેમને બદલે આ જવાબદારી ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે.
પહેલી ઈનિંગમાં લગાવ્યું હતું શતક
રોહિત શર્મા ધર્મશાળાની ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી ચૂક્યા છે. તેઓએ 162 બોલમાં 103 રન બનાવ્યા. હિટમેને આ સમયે 13 ચોગ્ગા અને 3 સિક્સ લગાવી. રોહિતે ટેસ્ટ કરિયરનું આ 12મું શતક બનાવ્યું. તેઓએ આ સીરીઝમાં ધમાકેદાર બેટિંગ કરી. તેમના નામે 5 ટેસ્ટની 9 ઈનિંગમાં 400 રન નોંધાયા છે.