રવિવારે કરો આ ઉપાય
1. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો રવિવારે ત્રણ સાવરણી ખરીદો. સાવરણીને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખો. બીજા દિવસે એટલે કે સોમવારે કોઈ પણ મંદિરમાં જઈને આ ત્રણ સાવરણીનું દાન કરો. આ ઉપાય કરવાથી દરિદ્રતા દૂર થાય છે.
2. જો તમે તમારી મનોકામના પૂરી થાય તેવી ઈચ્છા ધરાવવો છો તો રવિવારે વહેલા સ્નાન કરી લેવું અને પછી મંદિરમાં આવેલા વડના ઝાડ નીચે જવું. ત્યાંથી એક પાન લેવું અને તેના ઉપર પોતાના મનની ઈચ્છા લખવી ત્યાર પછી આ પાનને વહેતા પાણીમાં વહાવી દેવું.
3. તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો રવિવારે પીપળાના ઝાડ નીચે ચાર વાટનો દીવો સંધ્યા સમયે કરવો તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.
4. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય અને તેના કારણે કારકિર્દીમાં સમસ્યાઓ આવતી હોય તો રવિવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા કરવી ત્યાર પછી જરૂરિયાત મંદ વ્યક્તિને ગોળ અને દૂધનું દાન કરવું.
5. રવિવારે સૂર્યદેવને જળ ચઢાવો તેમાં કંકુ ઉમેરી દેવું અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.
6. રવિવારે સવારે માછલીને લોટની ગોળીઓ ખવડાવો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
7. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો રવિવારના દિવસે રોટલી બનાવી તેમાં ગોળ મૂકીને ગાયને ખવડાવો આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)