શત્રુથી મુક્તિ માટે
જો તમે તમારા કોઈ શત્રુથી પરેશાન છો તો માસિક શિવરાત્રિના દિવસે ભગવાન શિવના સામે ઘીનો દિવો કરો. સાથે જ શિવજીના આ મંત્રનો 11 વખત જાપ કરો- ऊँ शं शं शिवाय शं शं कुरु कुरु ऊँ।
ભૌતિક સુખ માટે
ધન ધાન્ય અને ભૌતિક સુખોમાં વધારો કરવા માટે માસિક શિવરાત્રીના દિવસે ઘરની પાસેના શિવ મંદિરમાં જઈને જળમાં થોડુ ગંગાજળ નાખી શિવલિંગ પર ચડાવો. સાથે જ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરો.
કોઈ મુશ્કેલી દૂર કરવા માટે
જો તમને કોઈ મુશ્કેલી છે અને તમે તેનું સમાધાન કરવા માંગો છો તો માસિક શિવરાત્રિના દિવસે જળમાં થોડા ટીંપા દૂધ નાખીને શિવલિંગ પર અર્પિત કરો. સાથે જ 11 બિલિપત્ર પર ચંદનથી ઓમ લખીને શિવલિંગ પર ચડાવો અને ધૂપ-દીપ વગેરેથી વિધિવત શિવલિંગની પૂજા કરો.
આવક વધારવા
જો તમે પોતાની આવકને વધારવા માંગો છો તો માસિક શિવરાત્રીના દિવસે ભગવાન શિવના અઘોર રૂપની વિધિ વિધાન સાથે પૂજા કરો અને જળમાં થોડા ચોખાના દાણા નાખીને શિવલિંગનો અભિષેક કરો. સાથે જ શિવ મંત્રના 11 વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે- ॐ नम:शिवाय। આ જાપ પુરા થયા બાદ પોતાની આવકમાં વધારો કરવા માટે ભગવાનની સામે હાથ જોડીને વિનંતી કરો.
દેવા મુક્તિ માટે
જો તમે દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો અને આર્થિક પક્ષ મજબૂત કરવા માંગો છો તો માસિક શિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કર્યા બાદ શિવ ચાલીસાનો પાઠ કરો. પાઠના બાદ ભગવાન શિવની આરતી કરો.
મનોકામના પુરી કરવા
જો તમે પોતાની બધી મનોકામનાઓ પુરી કરવા માંગો છો તો માસિક શિવરાત્રિના દિવસે શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર ધતૂરો ચડાવો. સાથે જ શિવજીને પ્રણામ કરો અને તેમની સામે આસન પાથરી બેસી 108 વત ॐ नम: शिवाय।નો જાપ કરો.
અભ્યાસ સંબંધિ મુશ્કેલી માટે
જો તમને પોતાના અભ્યાસમાં કોઈ મુશ્કેલી છે તો માસિક શિવરાત્રીના દિવસે શિવ ચાલીસાનો પાઠ કરો. સાથે જ શિવલિંગ પર ચંદનનું તિલક લગાવો.
પ્રગતિ માટે
જો તમારૂ જીવન પ્રગતિના રસ્તા તરફ વધતા વધતા વચ્ચે ક્યાંક અટકી જાય છે તો જીવનમાં પ્રગતિ માટે માસિક શિવરાત્રિના દિવસે શિવજીને પંચામૃત અને સફેદ ફૂલ ચડાવો.
ગુસ્સા પર કંટ્રોલ કરવા માટે
જો તમને દરેક નાની નાની વાત પર ગુસ્સો આવે છે તો તમારા ગુસ્સાને કંટ્રોલ કરવા માટે માસિક શિવરાત્રીના દિવસે શિવ મંદિર જાઓ અને શિવજીને જઉના લોટથી બનેલી રોટલીઓનો ભોગ લગાવો. જો જઉની રોટલી ન બની શકે તો ફક્ત જઉના દાણા ચડાવો.
સંનતાનના સહયોગ માટે
જો તમે ઈચ્છો છો કે તમારૂ સંતાન તમારા બધા કામોમાં મદદ કરે અને તેની સાથે તમારા સંબંધ સારા થાય તો માસિક શિવરાત્રીના દિવસે શિવજીને નારિયેળ અર્પિત કરો. સાથે જ ભગવાનને સુકા માવાનો ભોગ લગાવો.
પરિવારની સમૃદ્ધિ માટે
જો તમે પરિવારની સમૃદ્ધિ બનાવી રાખવા માંગો છો તો માસિક શિવરાત્રિના દિવસે ભગવાન શિવને દહીમાં થોડુ મઘ નાખીને ભોગ અર્પિત કરો અને ભગવાનને હાથ જોડીને પ્રણામ કરો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)