Homeધાર્મિકદિવાળીમાં દાન કરવાથી શું...

દિવાળીમાં દાન કરવાથી શું લાભ થાય છે? ભગવાન શિવજીએ જણાવ્યું આ રહસ્ય

દિવાળીનો તહેવાર દર વર્ષે આસો માસની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારને પાંચ દિવસનો તહેવાર પણ કહેવાય છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ આવી રહી છે.

વાર્તા

દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવના મોટા પુત્ર અને દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેયએ તેમના પિતા ભગવાન શિવને પૂછ્યું કે દિવાળી પર શું કરવું જોઈએ.

આ તહેવાર પર ક્યારે દીવા પ્રગટાવવા. ભગવાન શિવે આના પર શું કહ્યું તે જાણીને કાર્તિકેય અભિભૂત થઈ ગયા.

ભગવાન શિવે તેમના પુત્ર કાર્તિકેયને કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન કેશવની સામે ઘી અને તલના તેલનો દીવો પ્રગટાવશે, તેને તમામ તીર્થોની યાત્રા સમાન ફળ મળશે. આ પાંચ દિવસ ખૂબ જ પવિત્ર છે. આસો વદ તેરસ અને કારતક સુદ ત્રીજ વચ્ચે જે પણ દાન કરવામાં આવે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ભગવાન શંકરે કહ્યું કે આ સમય દરમિયાન જે વ્યક્તિ કોઈપણ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને એક તલના દાણા જેટલું સોનું દાન કરે છે તે વિષ્ણુધામની પ્રાપ્તિ કરે છે. સાથે જ જો કોઈ ચાંદીના બે ટુકડા દાન કરે તો તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. તે જ સમયે, જે આ સમયગાળા દરમિયાન ગાયનું દાન કરે છે તેને પૃથ્વીના સમગ્ર અન્નનું દાન કરવા જેટલું જ પુણ્ય મળે છે. દિવાળીના 5 દિવસ સુધી ઘરના મંદિર સહિત તમામ મુખ્ય સ્થળોએ ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. તેના દ્વારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ધનતેરસ પર ઘરની બહાર યમરાજ માટે દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. રૂપ ચૌદસના દિવસે વહેલી સવારે સ્નાન કરવાથી નરકમાં જવાથી બચે છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં દેવી લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. આના કારણે ધનની ખોટ ક્યારેય નથી થતી. ગોવર્ધન પૂજાના દિવસે મંદિરમાં 1.25 કિલો બાજરી અને ચોખાનું દાન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન ધાન્ય આવે છે. ભાઈ બીજનાં દિવસે બહેન દ્વારા તેમના ઘરે બનાવેલ ભોજન ખાવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...