જેમની કુંડળીમાં ગ્રહોના દોષ હોય તેઓ કોઈપણ કામમાં આસાનીથી સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને પરેશાન થતા રહે છે. કુંડળીના દોષ દૂર કરવા માટે જ્યોતિષમાં બતાવેલ ઉપાયોને નિયમિત રીતે કરવામાં આવે તો મોટા-મોટા સંકટો પણ ટળી જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે કેટલાક એવા ઉપાય જેમાં રોજિંદા જીવનમાં કરીને તમે શુભ ફળ મેળવી શકે છો. આજે જાણો શનિવારે કરવાના 5 ઉપાય….
પહેલો ઉપાય-
દર શનિવારે શનિદેવ માટે સરસિયાના તેલનું દાન કરો. તેની માટે એક વાટકીમાં તેલ લો અને તેમાં પોતાનો ચહેરો જોઈને દાન કરો.
બીજો ઉપાય-
મહિનામાં ઓછામાં ઓછા એકવાર હનુમાનજીને લાલ ફૂલ, લાલ લંગોટ અને લાલ ઝંડો ચઢાવો. સુંદરકાંડનો પાઠ કરો. સુંદરકાંડનો પાઠ કરવામાં વધુ સમય લાગે છે, જો સમયનો ઓછો હોય તો હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરવો જોઈએ.
ત્રીજો ઉપાય-
હનુમાનજીના મંદિરમાં ભગવાનની સામે માટીના કોડીયામાં સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. જો રોજ શક્ય ન હોય તો દર મંગળવારે અને શનિવારે આ ઉપાય જરૂર કરો.
ચોથો ઉપાય-
દેવી દુર્ગાની પૂજાથી બધા પ્રકારના સંકટ દૂર થઈ શકે છે. માતા પોતાના ભક્તોને દરેક સંકટોથી બચાવી શકે છે. ઘરેથી નિકળતાં પહેલાં દેવી દુર્ગાની પૂજા જરૂર કરો. દુર્ગા માતાની પૂજા કરનાર લોકોએ અધર્મ અને અપવિત્રતાથી બચવું જોઈએ. મહિલાઓનું સન્માન કરો. ક્યારેય પણ માતાનો અનાદર ન કરો. માતા-પિતાના આશીર્વાદ લઈને ઘરેથી નિકળવું જોઈએ.
પાંચમો ઉપાય-
શુભ ચિહ્ન જેવા સ્વસ્તિક, ऊँ, શ્રીરામ લખ્યું હોય કે હનુમાનજીનો ફોટો બનેલો હોય તેવો ઝંડો કોઈ શુભ મુહૂર્તમાં ઘરે લઈ આવો. ઘરમાં આ ઝંડાની વિધિવત પૂજા કરો. પૂજા કર્યા પછી ઘરની છત પર તેને લગાવી દો અને ભગવાનને સંકટો ટાળવાની પ્રાર્થના કરો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)