ચોખા
દરેક પ્રકારની પૂજામાં ચોખાનો ઉપયોગ થાય જ છે. કારણ કે તેની ગણના શુભ વસ્તુઓમાં થાય છે. જો તમે શુક્રવારથી શરુ કરી દરરોજ દેવી લક્ષ્મીની સામે દીવો પ્રગટાવો અને તેની નીચે અક્ષત રાખો છો તો ઘરમાં ધનની આવક વધવા લાગે છે.
અડદની દાળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની સુખ-સમૃદ્ધિને ખરાબ નજર લાગી હોય તો તેણે દેવી લક્ષ્મીની સામે દીવો પ્રગટાવવો અને તેની નીચે અડદની દાળના કેટલાક દાણા રાખવા જોઈએ. આમ કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી નજરદોષ દુર થાય છે.
ચણાની દાળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિશા ધનના દેવ કુબેર સાથે સંબંધિત છે. તેથી આ દિશામાં દીવો કરતી વખતે તેની નીચે ચણાની દાળ રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી તેમજ ભગવાન કુબેર પ્રસન્ન થાય છે.
ઘઉં
જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે દીવા નીચે ઘઉં રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)